મુંબઈ : પંજાબ મિનિસ્ટર અને કોંગ્રેસ લિડર નવજોત સિંહ સિદ્ધુની કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શોમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે. હકીકતમાં સિદ્ધુ ફુલવામા એટેક પછી તેણે કરેલી કમેન્ટના કારણે વિવાદમાં આવ્યો હતો. સિદ્ધુ પહેલાંથી કપિલના શોનો હિસ્સો હતો પણ તેની લેટેસ્ટ એપિસોડની કમેન્ટ લોકોને બહુ પસંદ પડી નહોતી અને પછી #boycottsidhu ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ એપિસોડના ટેલિકાસ્ટ પછી લોકો શોમાંથી સિદ્ધુની હકાલપટ્ટીની ડિમાન્ડ કરવા લાગ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ શોમાં સિદ્ધુના રિપ્લેસમેન્ટ તરીકે અર્ચના પુરણ સિંહની પસંદગી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હિરોઇન ઓળખ આપે છે ઝોયા સિંહ સોલંકી તરીકે...શું છે આખો મામલો જાણવા કરો ક્લિક


[[{"fid":"203401","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


હાલમાં ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતી વખતે અર્ચનાએ કહ્યું છે કે તેનો સંપર્ક નવજોત સિંહ સિદ્ધુના રિપ્લેસમેન્ટ તરીકે નથી કરવામાં આવ્યો. જો તેને આ ઓફર મળશે તો તે ચોક્કસ વિચાર કરશે. અર્ચનાએ જોકે માહિતી આપી છે કે તેણે આ શો માટે બે એપિસોડ શૂટ કર્યા છે પણ તે સિદ્ધુની જગ્યાએ નહીં પણ કપિલ શર્માની જગ્યાએ જોવા મળશે.


CRPFના જવાનો પરના ભયાનક હુમલા બાદ સિદ્ધુએ જણાવ્યું હતું કે, આ ખુબ જ દુખદ ઘટના છે. જે લોકોએ તેને અંજામ આપ્યો છે, તેમણે કાયરતાનો પરિચય આપ્યો છે. પણ વાતચીત દ્વારા જ સમસ્યાનું સ્થાઈ સમાધાન કાઢવું જોઈએ. સિદ્ધુએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આપણે સંયમથી કામ લેવું જોઈએ. ભારતે પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા જ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. સિદ્ધુનું આ નિવેદન તેના માટે વિવાદનું કેન્દ્ર બન્યું છે અને લોકોએ સિદ્ધુને હાંકી કાઢવા માટે સોની એન્ટરટેન્મેન્ટને પણ અપીલ કરી છે. આ માંગણીને લઈને લોકો એટલા તો સક્રિય થયા છે કે બોયકોટ કપિલ શર્મા શો ટ્વિટર પર ટ્રેંડ પણ કરવા લાગ્યો હતો.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...