મુંબઈઃ ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર કોરોનાથી સંક્રમિત થયો છે. અર્જુન કપૂરે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે તે કોરોના પોઝિટિવ થયો છે. 



તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'આ મારી જવાબદારી છે કે હું તમને બધાને જાણ કરું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હાલ સારૂ છે અને મારા શરીરમાં કોરોનાના કોઈ લક્ષણ નથી. મેં ડોક્ટરો અને તંત્રની સલાહ પર ખુદને આઇસોલેટ કરી લીધો છે અને હું હોમ ક્વોરન્ટાઇન રહીશ. હું તમારા બધાના સમર્થન માટે આભાર વ્યક્ત કરુ છું. હું તમને બધાને મારા સ્વાસ્થ્યની જાણકારી આપતો રહીશ. આવો સમય કહેલા ક્યારેય આવ્યો નથી, અસામાન્ય સમય છે. મને વિશ્વાસ છે કે વિશ્વની માનવતા આ વાયરસ સામે લડીને જીતશે.'