શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ભાગ્યનો ફેંસલો થાય તે પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે બપોરે તેને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ બાદ આર્થર રોડ જેલમાં લઈ ગઈ. હજુ તો આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલુ છે. સાંભળવામાં તમને અજીબ લાગે પણ કાયદાની દ્રષ્ટિએ જુઓ તો આ એકદમ યોગ્ય પગલું છે. 


જામીન અરજીનો ફેંસલો આવે તે પહેલા જ એનસીબી આર્યન ખાનને જેલમાં લઈ ગઈ. કાયદાની દ્રષ્ટિએ જુઓ તો તે બરાબર છે કારણ કે આર્યન  ખાન સહિત તમામ 8 આરોપીઓને ગુરુવારે સાંજે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આવામાં આર્યન અને બાકીના આરોપીઓએ તો ગુરુવારે જ જેલમાં જવાનું હતું પરંતુ ઓર્ડર આવતા આવતા સાંજે સાત વાગી ગયા હતા. જેલ પ્રશાસને તેમને એમ કહીને અંદર લેવાની ના પાડી હતી કે તેમની પાસે આરોપીઓનો કોવિડ નેગેટિવ રિપોર્ટ નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube