Aishwarya Rai Bachchan: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સંપન્ન થયા.. આ લગ્નમાં દુનિયાભરની મશહુર હસ્તીઓએ હાજરી આપી હતી. સાથે તેમાં બોલીવુડના બધા જ કલાકારો પણ જોવા મળ્યા હતા. અનંત અને રાધિકાના લગ્નમાં બચ્ચન પરિવારે પણ એન્ટ્રી કરી હતી. જોકે લગ્નમાં મહેમાન બનેલા બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય વચ્ચે સમસ્યા ચાલી રહી છે તે વાત જોરશોરથી થવા લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Web Series: સસ્પેન્સથી ભરપુર સીરીઝ જોવાનો શોખ હોય તેણે જોવી જ જોઈએ આ 6 વેબ સીરીઝ


કારણ એવું છે કે અનંત અને રાધિકાના લગ્નમાં બચ્ચન પરિવારના બધા જ સભ્યો સાથે જોવા મળ્યા. બધાએ ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા. પરંતુ આ પરિવારમાં ફક્ત બે વ્યક્તિની ગેરહાજરી હતી. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચને તેના પતિ અને બાળકો સાથે લગ્નમાં હાજરી આપી હતી. બચ્ચન પરિવારના બધા જ સભ્યોએ એક સાથે લગ્નમાં એન્ટ્રી કરી હતી ત્યારે એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન તેમની સાથે ન હતા. એશ્વર્યા અને આરાધ્યાએ બચ્ચન પરિવારથી અલગ લગ્નમાં એન્ટ્રી કરી હતી. 


આ પણ વાંચો: Isha Ambani​: હલ્દીમાં છવાઈ ગઈ રાધિકા પણ મહેંદીમાં ઈશાએ લુંટી લીધી મહેફિલ, જુઓ ફોટો


અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં એશ્વર્યાએ તેની દીકરી આરાધ્યા સાથે પરિવારથી અલગ રહીને એન્ટ્રી કરી અને લગ્ન સમારોહમાં પણ તે બચ્ચન પરિવાર સાથે જોવા ન મળી. આ લગ્નમાં તેણે રેખા સાથે મુલાકાત કરી હતી પરંતુ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા અલગ અલગ જોવા મળ્યા. 


આ પણ વાંચો: Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ


છેલ્લા ઘણા સમયથી એશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે અનબન ચાલતી હોવાની ખબરો ચાલી રહી છે. ચર્ચા એવી પણ થઈ હતી કે એશ્વર્યા હવે બચ્ચન પરિવારથી અલગ રહે છે. તેવામાં અનંત અંબાણીના લગ્નમાં એશ્વર્યા રાયે તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે પરિવારથી અલગ એન્ટ્રી કરતા ફરીથી આ ચર્ચાઓ તેજ બની ગઈ છે.