નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉમંદ કુમારના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' 12 એપ્રિલે રિલીઝ થશે. 'પીએમ નરેન્દ્ર મોદી'માં ગુજરાતના મુખ્યપ્રધાનથી લઈને 2014ના સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત અને અંતમાં વડાપ્રધાન બનવા સુધીના નરેન્દ્ર મોદીના સફરને દેખાડવામાં આવશે. 


અમદાવાદ, કચ્છ-ભૂજ અને ઉત્તરાખંડ બાદ ફિલ્મના છેલ્લા ચરણનું શૂટિંગ વર્તમાનમાં મુંબઈમાં થઈ રહ્યું છે. નિર્માતા સંદીપ સિંહે એક નિવેદનમાં કહ્યું, આ એક ખૂબ જ ખાસ ફિલ્મ છે અને એક એવી કહાની છે જેને દેખાડવાની જરૂર છે. મને આશા છે કે આ સ્ટોરી દર્શકોને પ્રેરિત કરશે. 


જુઓ બોલીવુડના અન્ય સમાચાર