નવી દિલ્હી: અભિનેત્રી-નિર્માતા દીયા મિર્ઝા (Dia Mirza)એ પોતાની જીંદગીના તે દૌર વિશે વાત કરી જ્યારે તેમને પણ કોઇપણ છોકરીની માફક છેડતીનો સામનો કરવો પડ્યો. તેમણે તે સમયને યાદ કર્યો જ્યારે તેમણે કોઇ સ્ટોકર (પીછો કરનાર અથવા હંમેશા નજર રાખનાર)નો સામનો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિયા મિર્ઝાએ કહ્યું કે ''જ્યારે હું નાની હતી અને હૈદરાબાદમાં પોતાના ઘરમાં રહતી હતી ત્યારે મેં પણ એક સ્ટોકરનો સામનો કર્યો હતો. મેં તેમનો સામનો કરતાં તેને તેનું નામ પૂછ્યું. તે સમયે તે છોકરા પાસે કોઇ જવાબ ન હતો. કોઇને પણ એવા લોકોથી ગભરાવવાનું અથવા તેમના વિશે બતાવતાં ડરવું જોઇએ. તેમાં કોઇ શરમની વાત નથી. આ તે સમસ્યાને ખતમ કરવાની ક્ષમતા સાથે આપણને સક્ષમ બનાવે છે અને તેનાથી એક મોટો ફેરફાર પણ આવે છે. આ પ્રકારની વસ્તુઓ બંધ થવી જોઇએ. 



દીયા મિર્ઝાનું માનવું છે કે સુરક્ષા ફક્ત કાનૂની મુદ્દો નથી. તેમણે આગળ કહ્યું કે 'પિતૃસત્તાત્મકતા અને મગજમાં હાલના રૂઢિગત વિચારો સાથે આ ઘણું બધું છે. હિંસાની અભિવ્યક્તિ શારીરિક દુષ્કર્મનો એક ભયાનક મોડ લઇ શકે છે. કિશોરોને પણ આ પ્રકારની હિંસા ધૃણિત અપરાધોને કરતાં જોવાનું મને સ્તબ્ધ કરી દે છે. તેમણે બિન સરકારી સંગઠન સેવા ધ ચિલ્ડ્રન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પોતાની વાત રાખી જેની દીયા મિર્ઝા એંબેસડર છે.