Rekha Personal Life: પીઢ બોલિવૂડ અભિનેત્રી રેખાને એમ જ આઇકોનિક કહેવામાં આવતી નથી. તેની પાછળ ઘણા કારણો છે. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો અને ગીતો આપ્યા છે એટલું જ નહીં, તેની ઑફ-સ્ક્રીન સ્ટાઈલ પણ અનોખી રહી છે. તે દરેક વખતે પોતાના લુકથી દરેકનું દિલ જીતી લે છે. કોઈપણ ઈવેન્ટને હિટ બનાવવા માટે રેખાની માત્ર હાજરી પુરતી છે. આ બધાની સાથે રેખા તેની બેબાક ઓપિનીયન માટે પણ જાણીતી છે. તે હંમેશા પોતાનો અભિપ્રાય પ્રામાણિકપણે આપે છે. રેખાનું દર્દ તેમના જીવનચરિત્રમાં પ્રતિબિંબિત થયું હતું. તેમણે પોતાને 'બદનામ' ગણાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેખાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાના અફેર વિશે વાત કરી છે. રેખાની બાયોગ્રાફી રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી યાસિર ઉસ્માને લખી છે. આ પુસ્તકમાં રેખાના ઘણા રહસ્યો સામે આવ્યા છે, જેના વિશે ઘણા લોકો નથી જાણતા.


હું મારી જાતને બદનામ કહું છું-
રેખાએ પુસ્તકમાં કહ્યું હતું કે, આ માત્ર એક સંયોગ છે કે હું હજુ સુધી ગર્ભવતી નથી થઈ. હું માત્ર એક અભિનેત્રી નથી પરંતુ હું એક બદનામ અભિનેત્રી છું. જેનો ભૂતકાળ ખૂબ જ ખરાબ છે અને સેક્સ મેનીયાકની ઈમેજ ધરાવે છે.


ઘણા કલાકારો સાથે નામ જોડાયું-
તમને જણાવી દઈએ કે રેખાનું નામ તેમના ઘણા કો-સ્ટાર્સ સાથે જોડાયું હતું. તેમનું નામ વિનોદ મહેરા, જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે જોડાયું હતું. તેમનું લગ્નજીવન પણ સારું નહોતું ચાલ્યું. રેખાએ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. મુકેશ સાથે લગ્ન કર્યા પછી રેખાને તેના ઘણા જૂઠ્ઠાણા વિશે ખબર પડી. બંને વચ્ચે હંમેશા ઝઘડો થતો હતો. ઝઘડાથી કંટાળીને રેખા અને મુકેશે અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેના 6 મહિનામાં જ છૂટાછેડા થઈ ગયા. મુકેશ રેખાથી અલગ થવાનો આઘાત સહન ન કરી શક્યો અને રેખાના દુપટ્ટા સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.