Actress Connection With Dawood Ibrahim: બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચે એક સમયે ગાઢ સંબંધ હતો. સેલેબ્સની અંડરવર્લ્ડ સાથે ઘનિષ્ઠ મિત્રતા રહી છે. અંડરવર્લ્ડ સાથેની આ મિત્રતાના ફાયદા તો હતા પણ ઘણા સેલેબ્સ માટે મોંઘી સાબિત થઈ. એક અભિનેત્રી હતી જેને નિર્માતાએ પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ અભિનેત્રીનું નામ અનિતા અયુબ છે. તે પાકિસ્તાની અભિનેત્રી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિતા અયુબ પાકિસ્તાનની રહેવાસી છે. પાકિસ્તાનમાં અભ્યાસ કર્યા બાદ તે મોડલિંગ કરવા ભારત આવી હતી. અહીં ઘણી એડ અને મોડલિંગ કર્યા પછી અનિતાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે દેવ આનંદની ફિલ્મ પ્યાર કા તરાનાથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી તેણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. અનીતાએ દેવ આનંદ સાથે ગેંગસ્ટરમાં કામ કર્યું હતું. આ દરમિયાન દાઉદ ઈબ્રાહિમ સાથે તેના અફેરના સમાચાર આવવા લાગ્યા.


દાઉદ સાથે અફેર હોવાની હતી ચર્ચા


અનિતાએ ક્યારેય દાઉદ સાથેના સંબંધોને સ્વીકાર્યા નથી. તે હંમેશા તેનો ઇનકાર કરતી હતી. અનિતાનું બોલિવૂડ કરિયર કંઈ ખાસ નહોતું. જો અહેવાલોનું માનીએ તો લોકપ્રિય નિર્માતા જાવેદ સિદ્દીકીએ અનિતાને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ દાઉદે તેની હત્યા કરાવી દીધી હતી.


જાસૂસીના હતા આરોપો 


અનિતા તેની ફિલ્મો સિવાય અન્ય બાબતોને લઈને વધુ ચર્ચામાં રહે છે. તેના પર પાકિસ્તાન માટે ભારતમાં જાસૂસી કરવાનો પણ આરોપ હતો. એક પાકિસ્તાની મેગેઝીનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે લોકો અનીતાને પાકિસ્તાનની જાસૂસ માને છે. જેના કારણે તેનો બોલિવૂડમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તે પછી તેણીએ અભિનય છોડી દીધો અને તે તેના દેશ પરત આવી.