Dayaben Will Return To TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શોનો ચાહક વર્ગ આજે પણ મોટો છે. આ શો એવો છે જેના બધા જ કલાકારોએ પોતાની અલગ ફેન ફોલોઇંગ ઊભી કરી છે. બધા જ પાત્રોમાં સૌથી પોપ્યુલર દયાબેન નું પાત્ર રહ્યું છે. જોકે છેલ્લા ઘણા વર્ષથી આ પાત્ર સીરીયલમાં જોવા નથી મળતું. દયાબેન અને જેઠાલાલ ની જોડી લોકોને ખૂબ મજા કરાવતી હતી. દિશા વાકાણી જે શોમાં દયાબેનનું પાત્ર ભજવતી તેણે છેલ્લા ઘણા સમયથી શો છોડી દીધો છે. ત્યાર પછીથી સતત દર્શકોના મનમાં એક પ્રશ્ન રહ્યો છે કે દિશા વાકાણી એટલે કે શોમાં દયાબેન ક્યારે પરત આવશે. આ અંગે તાજેતરમાં જ શોના પ્રોડ્યુસર અસત મોદીએ ખુલાસો કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


હૈદરાબાદના સૌથી મોંઘા ઘરમાંથી એક છે સુપરસ્ટાર રામ ચરણનું આલીશાન ઘર


બોલિવૂડની આ 8 શાનદાર ફિલ્મો છે સત્ય ઘટના પર આધારિત, જોઈને રૂવાડાં થઈ જશે ઊભા


બજરંગી ભાઈજાનની સિક્વલમાંથી Kareena Out, આ અભિનેત્રીએ કરી બેબોને રિપ્લેસ


છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો હતા કે શોમાં દિશા વાકાણી જ દયાબેન તરીકે પરત ફરશે કે દર્શકોને નવા દયાબેન જોવા મળશે. આ પ્રશ્નનો જવાબ તાજેતરમાં જ અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો. આસિત મોદીએ જણાવ્યું હતું કે દર્શકોની જેમ તેની પણ ઈચ્છા છે કે દયાબેન તરીકે દિશા વાકાણી જ શોમાં પરત ફરે. પરંતુ આ ઈચ્છા પૂરી થઈ શકતી નથી. કારણ કે દિશા વાકાણી ને પોતાના બંને બાળકો અને પરિવાર સાથે સમય પસાર કરવો છે. તેવામાં તેમને કોઈ પણ વાતનો ફોર્સ ન કરી શકાય.


ત્યાર પછી આગળ આસિત મોદીએ ખુલાસો કર્યો કે તેમને દિશા વાકાણી ને રિપ્લેસ કરવાનો ડર નથી. શો માટે નવા દયાબેનની શોધખોળ ચાલી રહી છે. એટલે કે તેઓ નવી અભિનેત્રીને શોધી રહ્યા છે. તેમનું કહેવું છે કે દયાબેન નું કેરેક્ટર એવું છે જેને રિપ્લેસ કરવું ઇઝી નથી તેથી જ આટલો સમય લાગી રહ્યો છે. દયાબેનના પાત્રમાં તે એવી અભિનેત્રીને પસંદગી કરશે. જે પરફેક્ટ હોય અને ફેન્સને જુના દયાબેનની ખામી ન લાગે. તેમણે અંતે જણાવ્યું હતું કે આશા છે કે તેમને ટૂંક સમયમાં જ શો માટે નવા દયાબેન મળી જશે.