Disha Vakani: ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી દિશા વાકાણી ફરી એકવાર ચર્ચામાં છે. આજે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા છોડીને પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં લોકો હજુ પણ તેમને યાદ કરે છે. તેમની કમી મહેસૂસ કરે છે. દિશા વાકાણીએ ગુજરાતી થિયેટર અને હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓથી અભિનયની શરૂઆત કરી હતી, પરંતુ દયાબેનની ભૂમિકાથી તેમને કારકિર્દીમાં મોટું નામ મળ્યું હતું. દયાબેનના પાત્રે દિશા વાકાણીને ઘર-ઘરમાં એટલી પ્રખ્યાત કરી કે આજે પણ લોકો તેને મિસ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશંસકો નિર્માતાઓને દયાબેન તરીકે દિશા વાકાણીને પરત લાવવા વિનંતી કરી રહ્યા છે અને ઘણી વખત ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ દિશા વાકાણી ક્યારેય 'તારક મહેતા' કે દયાબેનના રોલમાં પરત નહીં ફરે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધા પછી શું થયું? 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube