નવી દિલ્હીઃ ટીવીના સુપરહિટ કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. આ શોના ઘણા ફેમસ અને પસંદગીના કલાકાર શો છોડી ચુક્યા છે. આ કલાકારોમાં આપણા બધાના ફેવરિટ દયાબેન પણ સામેલ છે. આ વચ્ચે શોને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે શોમાં દિશા વાકાણી વાપસી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવેમ્બરમાં થઈ શકે છે કમબેક
દયાનું પાત્ર નિભાવતા અભિનેત્રી દિશા વાકાણીએ વર્ષ 2015માં તારક મેહતા શોને અલવિદા કહી દીધું હતું. દિશા શોમાં એક મહત્વનો ભાગ હતી. તેમણે પોતાની અભિનય ક્ષમતાઓ, રસપ્રદ વાતચીત અને ગરબા ડાન્સથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. સમાચાર છે કે દિશા વાકાણી શોમાં વાપસી કરશે અને દયાબેનના રૂપમાં ફરી જોવા મળશે. પરંતુ મેકર્સે તેની હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.


લગ્નના 4 વર્ષ બાદ Deepika-Ranveer ના સંબંધોમાં ખટાસ? નિવેદનથી ખબર પડી સંપૂર્ણ સચ્ચાઇ


ફરી જોવા મળશે દયાબેનના ગરબા
શોમાં જેઠાલાલ અને દયાની જોડી દર્શકોને ખાસ પસંદ આવતી હતી, પરંતુ વર્ષ 2015માં દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણીએ શોને અલવિદા કહી દીધુ હતું. ત્યારબાદથી આ પાત્રને નવા અભિનેત્રી હજુ સુધી મળી શક્યા નથી. મેકર્સ સતત દિશા વાકાણીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ફેન્સને નવેમ્બર સુધી પોતાના ફેવરેટ દયા ભાભીના ગરબા જોવા મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube