ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર શાહરૂખ ખાને હાલમાં જ ટ્વિટર પર પોતાના ફેન માટે લાઈવ સેશન ‘આસ્ક એસઆરકે’ યોજ્યું હતું. આ વચ્ચે અભિનેતાના લાખો-કરોડો ફેન્સે આ તકનો ફાયદો ઉઠાવીને ટ્વિટર પર અભિનેતાને ફિલ્મથી લઈને ગૌરી ખાનના જન્મદિવસ પર ગિફ્ટ આપવા સુધીના અનેક સવાલ પૂછ્યા હતા. જોકે, શાહરૂખ ખાને (Shah Rukh khan) પોતાના ફેન્સ દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો છે. આ વચ્ચે એક યૂઝરે અભિનેતાથી તેમના આલિશાન બંગલા મન્નતને વેચવા વિશે પૂછ્યું.  


આ પણ વાંચો : CM રૂપાણીના ઘરેથી આવેલા એક ફોનથી ગરીબ બ્રાહ્મણની જિંદગી બદલાઈ ગઈ


શાહરૂખ ખાનના સવાલ કરતા એક યૂઝરે લખ્યું કે, ભાઈ તમે મન્નત બંગલો વેચવાના છો કે? આ સવાલનો જવાબ આપતા શાહરૂખ ખાને લખ્યું કે, ભાઈ મન્નત વેચાતી નથી, માથુ ઝૂકાવીને માંગવામાં આવે છે. યાદ રાખતો લાઈફમાં કંઈ પણ મેળવી શકો છો. અભિનેતાનો જવાબને વાંચ્યા બાદ ટ્વિટર પર ફેન્સ શાહરૂખ ખાનના જોરદાર વખાણ કરી રહ્યાં છે. 


રાજાઓને આકર્ષિત કરવા રાણીઓ શું કરતી? પુસ્તકોમાંથી મળ્યાં તેમની સુંદરતાના રહસ્યો