મુંબઈ : બોલિવૂડ ક્વિન કંગના રનૌત પોતાના બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં છે. તે બોલિવૂડના મોટામોટા સ્ટાર્સની છડેચોક ટીકા કરતા અચકાતી નથી. હાલમાં કંગનાએ મણિકર્ણિકાની સક્સેસ પાર્ટીમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બરાબર ઝાટકણી કાઢી હતી. જોકે હવે કંગનાની સામે અક્ષયકુમારે મોરચો ખોલ્યો છે. હાલમાં અક્ષય પોતાની ફિલ્મ કેસરીના પ્રમોશન માટે પહોંચ્યો હતો ત્યારે તેને કંગના વિશે સવાલ કરવામાં આવતા તેણે સોય ઝાટકીને કહી દીધું હતું કે કોણ શું કહે છે અને કરે છે એની સાથે મને કોઈ મતલબ નથી. તમે મને મારા કામ વિશે સવાલ કરો. આ સિવાય અક્ષયે પાકિસ્તાની કલાકારો પરના પ્રતિબંધ વિશે પણ કમેન્ટ કરવાનું ટાળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિકર્ણિકાની સક્સેસ પાર્ટીમાં મીડિયા સાથે વાત કરતી વખતે કંગનાએ બોલિવૂડના ટોચના કપૂરપરિવારના રણબીર કપૂરના અભિગમની આકરી ટીકા કરીને તેની ઝાટકણી કાઢી હતી. હકીકતમાં રણબીરે એક ઇન્ટરવ્યૂમાં પોતાના રાજકારણમાં પ્રવેશ વિશે જવાબ આપ્યો હતો કે મારા ઘરમાં વીજળી છે, પાણી છે...તો પછી મારે રાજકારણમાં જવાની શું જરૂર? રણબીરના આ નિવેદનની ઝાટકણી કાઢતા કંગનાએ કહ્યું છે કે આ બહુ દુખદાયક છે કે જે દેશે તેમને સ્ટાર સ્ટેટસ અને બીજું ઘણું આપ્યું છે એના માટે રણબીરના દિલમાં જરા જેટલી પણ દરકાર નથી. 


કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આમિર ખાન, આલિયા ભટ્ટ અને ટ્વિન્કલ ખન્ના જેવા સેલિબ્રિટી સ્વાર્થી છે. કંગનાએ કહ્યું હતું કે આલિયા મને તેની ફિલ્મ રાઝીનું ટ્રેલર મોકલ્યું હતું અને મને એ જોવાની વિનંતી કરી હતી. ટ્રેલર જોયા પછી મેં મેઘના ગુલઝાર અને આલિયાને ફોન પણ કર્યો હતો. મારા માટે એ આલિયા કે કરણ જોહરની ફિલ્મ નહીં પણ સહમત ખાન નામની દેશ પર કુરબાન થનાર છોકરીની સ્ટોરી હતી. જોકે મારી ફિલ્મ વિશે કોઈએ બે શબ્દ પણ નથી ક્હ્યા. તેમને ડર છે કે જો તેવું કરશે તો કંગનાની ફિલ્મ કદાચ વધારે હિટ થઈ જશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...