નવી દિલ્હી : યુવાન મલયાલમ ફિલ્મ નિર્માતા નયના સૂર્યન સોમવારે તિરુવનંતપુરમ ખાતે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. તેણે અનેક ડિરેક્ટર્સ સાથે અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. પોલીસે આજે આ વાતની જાણકારી આપી છે. પોલીસે કહ્યું છે કે 28 વર્ષની નયના રવિવારે પોતાના અપાર્ટમેન્ટમાં મૃત હાલમાં મળી આવી છે પણ મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ પછી જ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉડ્યા કપૂર પરિવારના લવ બર્ડસ...ક્યાં? જાણવા કરો ક્લિક..


[[{"fid":"204442","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પોલીસે સંકેત આપ્યો છે કે તે થોડા સમયથી ડાયાબિટીસનો ઇલાજ કરાવી રહી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે વારંવાર ફોન કર્યા પછી પણ જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે નયનાની માતાએ ગભરાઈને તેના મિત્રોને જાણ કરી. આ પછી તેના મિત્રો નયનાના ઘરે પહોંચ્યા હતા અને પછી આ ચોંકાવનારી માહિતી મળી હતી. 


નયનાના મિત્રોને વારંવાર ઘરનો દરવાજો ખટખટાવ્યા પછી કોઈ પ્રતિક્રિયા નહોતી મળી. આખરે તેમણે એકસ્ટ્રા ચાવીથી દરવાજો ખોલ્યો તો તે બેડરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...