મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યા રજનીકાંતે 11 ફેબ્રુઆરીએ અભિનેતા-ઉદ્યોગપતિ વિશાગન વનંગમુદી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. ન્યૂઝ એજન્સી એઆઇએન દ્વારા આપવામાં આપેલી માહિતી પ્રમાણે આ લગ્ન ચેન્નાઈની 'ધ લીલા પેલેસ' હોટેલમાં થયા હતા. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરમાં સૌંદર્યા અને પતિ વિશાગનની જોડી જામી રહી છે. આ લગ્ન પહેલાં પ્રી વેડિંગ પાર્ટી પણ રાખવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પછી જોડી હનીમૂન માટે આઇસલેન્ડ જવા રવાના થઈ ગઈ છે. સૌંદર્યાએ પોતાના આ હનીમૂનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેઓ બહુ ખુશ દેખાઈ રહ્યા છે. 


પીએમની બાયોપિકમાં 'આ' હિરોઇનો બનશે તેમના માતા અને પત્ની!


સૌંદર્યા રજનીકાંત અને આર અશ્વિનનાં ગત વર્ષે છૂટાછેડા થયા હતા. સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યાએ 2016માં છૂટાછેડા માટે અરજી આપી હતી. તેમના લગ્નને 7 વર્ષ થઇ ચુક્યા હતા અને 2017માં બંનેની સહમતિથી છૂટાછેડા થયા હતા. તેમને એક ચાર વર્ષનો એક દીકરો પણ છે. સૌંદર્યા અને આર. અશ્વિનના પરિવારે આ લગ્નને બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સૌંદર્યા નહોતી માની અને તેણે છૂટાછેડાનો નિર્ણય કર્યો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...