નવી દિલ્હીઃ ઘણા મહિના સુધી ન્યૂરો એન્ડોક્રીન ટ્યુમર્સની સારવાર કરાવ્યા બાદ અભિનેતા ઇરફાન ખાનના જીવનના આ મુશ્કેલ સમયમાં પ્રેમ અને સમર્થન આપવા માટે પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બુધવારે એક ઇમોશનલ પોસ્ટમાં ઇરફાને લંડનમાં સારવાર કરાવ્યા દરમિયાન મળેલા પ્રેમ અને આશીર્વાદ વિશે પોતાના વિચારો રજૂ કર્યાં છે. 


ઇરફાને લખ્યું, 'લગભગ જીતવાની ઈચ્છામાં ક્યાંકને ક્યાંક આપણે ભૂલી જઈએ કે પ્રેમ મળવાનો શું અર્થ છે.' આપણે મુશ્કેલ સમયમાં આપણે યાદ અપાવવામાં આવે છે. હું મારા જીવનની ક્ષણઓ પર મારા પદચિહ્ન છોડું છું. હું તમારા અપ્રતીમ પ્રેમ અને સમર્થન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે થોભવા ઈચ્છું છું. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર