નવી દિલ્હી: બોલીવુડ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan)ની તબિયત અચાનક બગડી જતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઇરફાન મુંબઇ સ્થિત કોકિલાબેન હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ છે. અચાનક તબિયત બગડતાં તેમને આઇસીયૂમાં લઇ જવામાં આવ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે ઇરફાન ખાન (Irrfan Khan)ને કોલોન સંક્રમણ થયું છે. આ વાતની પુષ્ટિ એક્ટરના પ્રવક્તાએ ZEE NEWS ને એક નિવેદન આપી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરફાનના પ્રવક્તાએ કહ્યું છે કે ''હાં આ સાચું છે કે ઇરફાન ખાન એક કોલોન સંક્રમણના કારણે મુંબઇના કોકિલાબેનમાં આઇસીયૂમાં ભરતી છે. આપણને અપડેટ રાખશે. તે ડોક્ટરના નિરિક્ષણમાં છે. તેમની તાકાત અને સાહસે તેમને અત્યાર સુધી લડાઇ અને લડવામાં મદદ કરી છે અને અમને તેમની જોરદાર ઇચ્છાશક્તિ અને પોતાના તમામ શુભચિંતકોની પ્રાર્થનાઓની સાથે સુનિશ્વિત છે, તે ખૂબ જલદી સાજા થઇ જશે.''


તાજેતરમાં જ ઇરફાન ખાન (Irrfan Khan)ની મા સઇદા બેગમનું નિધન થઇ ગયું હતું. તે સમયે આ સમાચાર આવ્યા હતા કે લોકડાઉનમાં ઘરથી દૂર હોવાના કારણે એક્ટરે વીડિયો કોન્ફ્રસિંગમાં માતાના અંતિમ દર્શન કર્યા હતા. 


અત્રે ઉલ્લેખનીય છે કે, એક્ટર ઇરફાન ખાન પોતાની સારવારનાં કારણે ઘણા દિવસો સુધી ફિલ્મોથી પણ દુર રહ્યા. જો કે લંડનનાં સ્વસ્થય થઇને પરત ફર્યા બાદ તેમણે બોલિવુડમાં પરત ફર્યા અને અંગ્રેઝી મીડિયમનું શુટિંગ પણ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઇ હતી, જેમાં ઇરફાનની સાથે રાધિકા મદાન અને અભિનેત્રી કરિના કપુર પણ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મના કોન્સેપ્ટ તો દર્શકોનું દિલ જ જીતી લીધું હતુ, સાથે જ ઇરફાન ખઆનની એક્ટિંગ પણ લોકોને ખુબ જ પસંદ આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube