નવી દિલ્હી: અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરના ફેન્સ માટે શોકિંગ ન્યુઝ છે. શોકિંગથી વધારે દિલ તોડનારા સમાચાર છે. આ વાત જણાવતા દિલ તો દુ:ખે છે, પરંતુ અનન્યા અને ઈશાનના ફેન્સ માટે આ જાણવું પણ જરૂરી છે. વાતોને ટ્વિસ્ટ ક્યા વગર સીધા મુદ્દાની વાત કરીએ તો ખરેખરમાં અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર હવે સાથે નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇશાન-અનન્યાનું બ્રેકઅપ
છેલ્લા કેટલાક સમયથી અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર કેટલીક જગ્યાઓ પર સાથે જોવા મળી રહ્યા હતા. આ યંગ કપલે સાથે ઘણી ટ્રિપ પણ કરી છે. પર લાગે છે કે ભાગ્યમાં તેમનો સાથ માત્ર બસ આટલો જ હતો. તેથી બંનેએ એક સારા મોડ પર પોતાનો રસ્તો અલગ કરી દીધો છે. એટલે કે અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરનું બ્રેકઅપ થઈ ગયું છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર ઇશાન અને અનન્યા ખાલી પીલીના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા બાદ કપલે તેમની રિલેશનશિપ પર ફૂલસ્ટોપ લગાવી દીધું છે.


રણબીર અને આલિયાના લગ્નની તારીખ સામે આવી, જાણ ક્યારે ફરશે સાત ફેરા; પરંતુ...


અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર બંને બોલીવુડના તે યંગ અને ટેલેન્ટેડ સ્ટારમાંથી છે, જેમણે ઓછા સમયમાં મોટું નામ કમાયું છે. તેમના ફેન્સ બંનેને સાથે જોઇ ખુશ થતા હતા. પરંતુ આપણી ઇચ્છવાથી શું થયા છે. ઇશાન-અનન્યાને લાગે છે કે કેટલીક બાબતોમાં તેમની વિચારસરણી મેચ કરતી નથી. તેથી તેમને અલગ થવાનું યોગ્ય લાગ્યું.


The Kashmir Files મામલે બોલીવુડની આ એક્ટ્રેસે તો હદ કરી, ફિલ્મ અંગે કરી એવી વાત કે...


સારી વાત એ છે કે નાની ઉંમરમાં તેમણે મોટી સમજદારીનું કામ કર્યું છે. અનન્યા અને ઇશાને સંબંધ જરૂર તોડ્યો છે, પરંતુ તેમની પ્રોફેશનલ વાતો આગળ પર ચાલતી રહેશે. આગળ જતાં તેમની પાસે કોઈ ફિલ્મ અથવા સીરીઝની ઓફર આવે છે તો આ બંને સાથે કામ કરતા પણ જોવા મળી શકે છે. એટલે કે બંને આગળ જતાં મોટા પરદા પર ફેન્સને એન્ટરટેન કરવાનું છોડશે નહીં. હાલ તો અનન્યા અને ઇશાન તેમના બ્રેકઅપને લઇને કંઈપણ કહી રહ્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube