મુંબઈ : આજે મધર્સ ડે છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે તેની સ્વર્ગસ્થ માતા શ્રીદેવીને યાદ કરીને બાળપણનો એક ફોટો શેર કર્યો હતો. આ સાથે જ જ્હાન્વીએ એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો. જ્હાન્વીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, એમને બિરદાવો, એમની વાત સાંભળો, એમને શક્ય એટલો બધો જ પ્રેમ આપો. હેપ્પી મધર્સ ડે. આ ફોટામાં શ્રીદેવી સફેદ સાડીમાં અને નાનકડી જ્હાન્વી ગોલ્ડન લહેંગામાં દેખાય છે. જ્હાન્વી સોનાના હાર અને બે ચોટલીમાં બહુ ક્યુટ લાગી રહી છે. થોડા દિવસ પહેલા પણ જ્હાન્વીએ માતા સાથે પોસ્ટ શેર કરી લખ્યું હતું, “મારુ દિલ હંમેશા ભારે રહેશે પરંતુ હું હસી રહી છું કારણ કે મારા દિલમાં તુ વસે છે.”


ચંદ્રમુખી ચૌટાલા નહીં પેદા કરે બાળકો કારણ કે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુંજન પ્રથમ મહિલા IAF પાયલોટ હતી. તેણે 1999ના કારગિલ યુદ્ધ બાદ ઈજાગ્રસ્ત ભારતીય સૈનિકોને વોર ઝોનની બહાર કાઢ્યા હતા. હથિયાર વિના ગુંજને પાકિસ્તાની સેનાનો સામનો કર્યો હતો. તે પોતાની બહાદુરી માટે જાણીતી છે. ગુંજનનું શૌર્ય ચક્રથી પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર મેળવનાર તે પ્રથમ મહિલા બની હતી. ગુંજને દિલ્હીના હંસરાજ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને પછી તેને IAFની પ્રથમ મહિલા ટ્રેની પાયલોટ બેચ જોઇન કરવાની તક મળી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...