નવી દિલ્હી: કન્નડ સિનેમાની અભિનેત્રી અને કન્નડ Bigg Bossની કન્ટેસ્ટેન્ટ જયશ્રી રમૈયાનો (Jayashree Ramaiah) આજે મૃતદેહ મળી આવ્યો છે. જયશ્રી રમૈયા આજે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો છે. જયશ્રી રમૈયા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્નડ બિગ બોસ સિઝન
તમને જણાવી દઇએ કે, બેંગલુરૂના સંધ્યા કિરણ આશ્રમમાં જયશ્રી રમૈયાની (Jayashree Ramaiah)  સારવાર ચાલી રહી હતી. જયશ્રી રમૈયા કન્નડ બિગ બોસ સિઝન 3ની પ્રતિયોગી હતી. જયશ્રીના આ પ્રકારે દુનિયા છોડી ગયા બાદ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:- Republic Day પર આવી રહી છે વિક્કી કૌશલની 'ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક', સિનેમાઘરોમાં ફરી સંભળાશે  Hows The Josh


વાયરલ થઈ રહી છે ટ્વીટ
સમાચારોનું માનીએ તો જયશ્રી રમૈયાનું (Jayashree Ramaiah) એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ 22 જૂલાઈ 2020નું છે. તેમાં લખ્યું છે, 'હું આ દુનિયા છોડીને જઈ રહી છું, આ વખતે દુનિયા અને ડિપ્રેશનને ગુડબાય' (I Quit, Good Bye To This F**King Word and Depression). આ ટ્વીટ બાદ જયશ્રી રમૈયા (Jayashree Ramaiah) એ લાઇવ આવી કહ્યું કે, તે જીવીત છે અને ઠીક છે. ફેન્સ તેની ચિંતા ના કરે. આ વીડિયો તેણે 26 જુલાઈ 2020ના પોસ્ટ કર્યો હતો, બાદમાં તેણે લાઈવ વીડિયો ડિલીટ કર્યો હતો.


આ પણ વાંચો:- Akshay Kumar ને આજે પણ ખટકે છે આ વાત, જણાવ્યું હતું શા માટે થયા છે તકલીફ


એક્ટ્રેસે કરી હતી ચોંકાવનારી વાત
ગત વર્ષ જયશ્રી રમૈયાએ (Jayashree Ramaiah) ફેસબુક પોસ્ટ દ્વારા ડિપ્રેશનની જાણકારી આપી હતી. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાઈવ સેશન કર્યું અને ઘણી ચોંકાવનારી વિગતો જણાવી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું કે, તે ડિપ્રેશનનો સામનો કરી રહી છે. આ સાથે જ તે ઇચ્છા મૃત્યુની વાત કરી હતી. તમને જણાવી દઇએ કે, ઘણા સમયથી જયશ્રી પાસે કામ ન હતું, જેના કારણે તે ઘણી મુશ્કેલીમાં હતી. તેના નજીકના મિત્રો સાથે તેની તમામ મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube