Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલદી મોટો ટ્વિસ્ટ આવી રહ્યો છે. જેઠાલાલના અમેરિકા જવાના સમાચાર મળતા જ સૌ કોઈ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારે ગડા પરિવારની ખુશીનું કોઈ સ્થાન નથી. સંપૂર્ણ તૈયારીઓ બાદ હવે જેઠાલાલ અમેરિકા જતા રહ્યા છે. ત્યારે શું ગોકુલધામ સોસાયટીમાં હવે કંઈક ખરાબ થવા જઈ રહ્યું છે. જેઠાલાલના અમેરિકા ગયા બાદ હવે કોઈ મોટું સંક્ટ આવ્યું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂતથી ડર્યા બાપુજી
જીહાં... ગોકુલધામ સોસાયટીમાં ભૂત. પહેલા પણ સોસાયટીમાં જ્યારે ભૂતનો સાયો મંડરાયો હતો. ત્યારે સોસાયટીના લોકોની હાલત પતલી થઈ ગઈ હતી અને હવે ફરી એકવાર આવું થઈ રહ્યું છે. જેઠાલાલ અમેરિકા જતા રહ્યા છે. દયાબેન પહેલાથી અમદાવાદમાં છે અને ટપ્પુ ભણવા માટે મુંબઇથી બહાર છે. એટલે બાપુજી ઘરમાં એકલા છે. એવામાં ભય તો રહે જ. થશે એવું કે બાપુજીને ઘરમાં અજીબોગરીબ અવાજો સંભળાઈ રહી છે. જેના કારણે તેઓ ખુબ ડરી જાય છે. આ અવાજો સંભળાતા સ્પષ્ટ થાય છે કે, સોસાયટીમાં અજાણ્યો સાયો મંડરાઈ રહ્યો છે.


આ પણ વાંચો:- 'અનુપમા' માટે માથાનો દુ:ખાવો બની શકે છે આ, સમય જતાં ક્યાંક જગ્યા ના છીનવાઈ જાય


હવે શું કરશે સોસાયટીના લોકો
જેઠાલાલ પહેલાથી જ સોસાયટીની બહાર છે અને બાપુજી ઘરમાં એકલા છે. એવામાં હવે સવાર પડતાં જ ગોકુલધામમાં હંગામો મચી ગયો છે. જોકે, આ પહેલા પણ જ્યારે જેઠાલાલ વિદેશ ગયા હતા ત્યારે પણ સોસાયટીમાં ભારે કોલાહલ મચ્યો હતો અને હવે ફરી એકવાર તે થતું જોવા મળી રહ્યું છે. ત્યારે બાપુજીને ભૂતનો ડર લાગી રહ્યો છે, આવી સ્થિતિમાં બાપુજી કેવી રીતે એકલા રાત વિતાવશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube