નવી દિલ્હી: અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawla)એ કરિશ્મા કપૂર (Karishma Kapoor)ને લઇને કહ્યું કે કરિશ્માનું કરિયર જો સફળ થયું છે, તો તેનું કારણ છે જૂહીએ કહ્યું કે કરિશ્માને બે ફિલ્મો 'દિલ તો પાગલ હૈ અને રાજા હિંદુસ્તાની, પહેલા તેમને ઓફર થઇ હતી અને પછી આ બ્લોકબસ્ટર સાબિત થઇ. જૂહી ચાવલાને એ વાતનો અફસોસ છે કે તેમણે આ ફિલ્મો ફગાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે એક દૌર હતો જ્યારે કરિશ્મા કપૂર, માધુરી દીક્ષિત અને જૂહી ચાવલા આ ત્રણેય અભિનેત્રીનો ઇંડસ્ટ્રીમાં દબદબો હતો. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી. 'દિલ તો પાગલ હૈ', માં તો કરિશ્માએ માધુરી દીક્ષિત સાથે પણ કામ કર્યું હતું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ. કરિશ્માને ફિલ્મને લઇને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારે એવા સમાચાર પણ આવ્યા હતા કે આ ફિલ્મો પહેલાં જૂહી ચાવલાને ઓફર થઇ હતી. પરંતુ જૂહીએ ઇગોના લીધે ફિલ્મ છોડી હતી. 


તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુંમાં પણ જૂહી ચાવલાએ એ વાત કહી છે કે તેમને ફિલ્મ રાજા હિંદુસ્તાની અને દિલ તો પાગલ હૈને નકારી કાઢી હતી. જૂહીએ આ ઇન્ટરવ્યુંમાં કહ્યું કે મને એવું લાગતું હતું કે ઇંડસ્ટ્રીને મારી જરૂર છે અને આ ઇગોમાં આવીને મેં ફિલ્મો પણ છોડી. હું તે ફિલ્મોમાંન કામ ન કર્યું, જેમાં મારે કરવું જોઇતું હતું. મેં સરળ કામને મહત્વ આપ્યું અને કંફર્ટ જોનમાંથી બહાર ન નિકળી શકી. તેમની સાથે જ કામ કર્યું જેમની સાથે મને સગજ મહેસૂસ થતું હતું. મેં બંદીશો ન તોડી. 


જૂહી ચાવલાને લાગે છે કે તેમના આ વલણના લીહ્દે ફિલ્મો તેમના હાથમાંથી નિકળી ગઇ અને ત્યારબાદ જેણે તે ફિલ્મ કરી, તેનું કરિયર ચમકી ગયું. જૂહીએ ઇન્ટરવ્યૂંમાં કહ્યું કે કરિશ્મા કપૂરને જે સફળતા મળી છે, તેમની પાછળ તેમનો મોટો હાથ છે. જોકે અત્યારે કરિશ્મા કપૂરે તેના પર કોઇ પ્રતિક્રિયા ન આપી છે. જૂહી જલદી જ ઋષિ કપૂરની સાથે ફિલ્મ 'શર્મા જી નમકીન'માં જોવા મળી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube