નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત  (Kangana Ranaut) પર દરેક મુદ્દા પર પોતાની બેબાક ટિપ્પણી કરે છે. તે જ્યારે પણ કોઇ મુદ્દા પર પોતાની ટિપ્પણી કરે છે, તો તે વાયરલ થઇ જાય છે. બ્રિટનના શાહી પરિવારમાં મચેલા ઘમાસાણને લઇને કંગના રનૌત  (Kangana Ranaut) એ પણ પોતાની રાય રજૂ કરી છે. રાય રજૂ કરતાં કંગનાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ને પણ પોતાની પોસ્ટમાં લપેટી લીધા હતા.


કંગનાની પહેલી ટ્વીટ
કંગના રનૌત  (Kangana Ranaut) એ પોતાની સૌથી પહેલી ટ્વીટમાં લખ્યું કે ગત થોડા દિવસોથી લોકોએ એક પરિવાર પર એકતરફી કહાની સાંભળીને ખૂબ ગોસિપ કરી, જજ કર્યા, ઓનલાઇન લિંચ કર્યા. મેં ક્યારેય સાસ બહૂ અને સાજિશ જેવા ઇંટરવ્યું જોયા નથી કારણ કે આ વસ્તુઓ મને ઉત્સાહિત કરતી નથી. હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે આ ગ્લોબ પર તે એકમાત્ર મહિલા શાસક બચી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube