નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન (Katrik Aaryan) આ દિવસોમાં ઘણા ડાયરેક્ટરોની પ્રથમ પસંદ બનેલો છે. તેના ખાતામાં એક બાદ એક ફિલ્મો આવી રહી છે. પરંતુ કરણ જોહર (Karan Johar) એ પોતાની ફિલ્મો માટે કાર્તિક આર્યનને દૂર કરી દીધો છે. એટલું જ નહીં દોસ્તાના 2માંથી કાર્તિક આર્યનને બહારનો રસ્તો દેખાડી દીધો છે. પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે આ વિવાદમાં અભિનેત્રી કંગના રનૌતે કાર્તિક આર્યનનો સાથ આપતા કરણ જોહરને ફટકાર લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્તિકની સાથે કામ નહીં કરે કરણ
કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર  (Karan Johar) ના ધર્મા પ્રોડક્શન (Dharma Production) એ કાર્તિકને માત્ર દોસ્તાના-2 માંથી નહીં પરંતુ હંમેશા અલગ કરી દીધો છે. હવે કરણ અને કાર્તિક કોઈ ફિલ્મોમાં સાથે કામ કરશે નહીં. કાર્તિકે આ નિર્ણય તેના વલણને કારણે લીધો છે. 


કંગનાએ કર્યુ ટ્વીટ
સોશિયલ મીડિયા પર બેબાક અંદાજમાં પોતાની વાત રાખવા માટે જાણીતતી અભિનેત્રી કંગના રનૌત બોલીવુડમાં ભાઈ-ભત્રીજા વાદ પર સતત પ્રહાર કરી રહી છે. હવે જ્યારે શુક્રવારે કાર્તિક આર્યનને કરણ જોહરે ફિલ્મ દોસ્તાના 2માંથી કાઢી નાખ્યો તો કંગનાએ ફરી કરણ પર હુમલો કર્યો નછે. તેણે આ મામલાને લઈને સુશાંત સિંહ રાજપૂતને પણ યાદ કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube