નવી દિલ્હીઃ આર્ટિકલ 370 હટ્યા બાદથી જમ્મૂ-કાશ્મીરના મૂળ સાથે જોડાયેલા કાશ્મીરી પંડિતો માટે ભાવુક ક્ષણ રહી. ન જાણે કેટલા લોકોના દિલમાં પોતાના ઘરોમાં વાપસી કરવાનો ખ્યાલ પણ સુખ આપનારો હતો. કાશ્મીરની લોક ગાયિકા આભા હંજુરા પણ આ નિર્ણય બાદ ભાવુક થઈ ગઈ છે. આભાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને પોતાના મનની વાત ફેન્સ સુધી પહોંચાડી છે. 


આભાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, હવે ઘર તરફ જવાનો માર્ગ મોકળો બની ગયો છે અને બની શકે કે આપણે બધાને ફરી પોતાના ઘર મળે. પોતાના ઘરોથી દૂર કાશ્મીરીઓની આંખોનું આ સપનું સાકાર થયું છે. ત્યારબાદ પણ આભાએ અન્ય ટ્વીટ કરીને પોતાના દિલની વાત કરી છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર