મુંબઈ: સોમવારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો પોપ્યુલર ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ(Kaun Banega Crorepati 12) ની નવી સીઝનની શરૂઆત થઈ. કોરોના વાયરસ (Corona virus)  મહામારીના કારણે આ શોને લાંબા ગેપ બાદ ઓનએર કરાયો. 'કોન બનેગા કરોડપતિ 12'નો પહેલો એપિસોડ ઓનએર થતા જ ફેન્સે ધમાકેદાર અંદાઝમાં બિગ બીનું સ્વાગત કર્યુ છે. આ શોના પહેલા એપિસોડ સંબંધિત અનેક આઈકોનિક મૂવમેન્ટ્સ પણ ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 'કોન બનેગા કરોડપતિ'ના પહેલા એપિસોડમાં જે રીતે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતને યાદ  કર્યો તેને જોઈને ફરીથી એકવાર લોકોની આંખો ભીની થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drugs Case: રિયાની માનસિક સ્થિતિ ડામાડોળ? જાણો શું લખ્યું છે જામીન અરજીમાં 


વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચને શોના પહેલા સ્પર્ધક આરતી જગતાપને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' સંબંધિત એક સવાલ પૂછ્યો હતો. સવાલ હતો કે આ ફિલ્મથી કઈ અભિનેત્રીએ પોતાનું ડેબ્યુ કર્યું? ત્યારબાદ બિગ બીએ સુશાંતને યાદ કરતા લાંબા શ્વાસ લીધા અને તેના નિધનને 'દર્દનાક' ગણાવ્યું. અમિતાભે સુશાંતને જે રીતે યાદ કર્યો તે જોઈને હવે સોશિયલ મીડિયા પર લોકો તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે કાશ બિગ બીએ સુશાંતને લઈને પહેલા કઈ કહ્યું હોત. 


NCB આગળ ભાંગી પડી સારા, સુશાંત વિશે જે વાત અત્યાર સુધી છૂપાવી રાખી હતી તે સ્વીકારી લીધી



બિગ બી થયા હતા ટ્રોલ
અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવુડની રહસ્યમય ચૂપ્પીને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતાં. ભારતની જનતાના ગુસ્સાનો ભોગ બિગ બી પણ બન્યા હતા. લોકોનું માનવું હતું કે જો અમિતાભ બચ્ચને આ ઘટના પર કઈ કહ્યું હોત તો તેનો પ્રભાવ વધુ પડત.