મુંબઈ : બંગાળના જાણીતા સિંગર અને એક્ટર રૂમા ગુહા ઠાકુર્તાનું 84 વર્ષની વયે આજે સવારે તેમના કોલકાતા ખાતેના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ વયને કારણે આવતી શારીરિક સમસ્યાઓથી પીડાતા હતા. તેઓ ગણશત્રુ (1989) અને અભિજાન (1962) જેવી સત્યજિત રાયની ફિલ્મોને કારણે લોકપ્રિય બન્યા હતા.  તેઓ સત્યજિત રાયના ભાણેજ પણ હતા.


[[{"fid":"218441","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]રૂમા ગુહા રિયલ લાઇફમાં લોકપ્રિય ગાયક કિશોર કુમારના પહેલા પત્ની હતા અને તેમણે આ લગ્નજીવનના અંત પછી બીજા લગ્ન કર્યા હતા. રૂમા ગુહા ઠાકુર્તા હાલમાં તેના દીકરા અમિત કુમાર સાથે ત્રણ મહિના રહીને કોલકાતા પરત આવ્યા હતા. રૂમા ગુહાના બીજા દિકરા અયાને તેમના મૃત્યુના સમાચારને સત્તાવાર રીતે જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેમનું વહેલી સવારે 6 અને 6.15 વચ્ચે નિંદરમાં જ અવસાન થઈ ગયું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...