નવી દિલ્હી: કોમેડિયન કપિલ શર્મા હાલમાં દર્શકોથી ખૂબ દુર છે. ના તો ટીવી પર તેમનો કોઇ શો આવે છે અને ના તો તે પહેલાંની માફક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનાર સમાચાર આવ્યા છે. સમાચાર છે કે નિર્દેશક વિનોદ તિવારી ટૂંક સમયમાં જાણીતા કોમેડિયન શર્માની બાયોપિક બનાવાની તૈયારી કરી રહ્યા છે. જોકે બાયોપિકની હાલમાં સિઝન ચાલી રહી છે અને બોલીવુડ ઘણી બાયોપિક બની રહી છે, પરંતુ ચોંકાવનાર સમાચાર એ છે કે આ ફિલ્મમાં કપિલ શર્માનું પાત્ર કોમેડિયન કૃષ્ણા અભિષેક ભજવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચારથી કપિલના પ્રશંસકોને આંચકો લાગી શકે છે કારણ કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચે ક્યારેય સારા કનેક્શન રહ્યા નથી. જોકે આ બંનેએ એકબીજા પર સીધું નિશાન તાક્યું નથી પરંતુ કોમેંટ મારવામાં પણ પાછળ રહ્યા નથી. જોકે વિનોદ તિવારી, કૃષ્ણા અભિષેકની આગામી ફિલ્મ 'તેરી ભાભી હૈ પગલે''ના નિર્દેશક અને હવે કપિલ શર્માની બાયોપિક બનાવવા માંગે છે અને તેમાં કપિલ શર્મા પોતે પોતાનું પાત્ર ભજવે. વિનોદ તિવારીનું કહેવું છે કે જો કપિલ પોતાની બાયોપિકમાં પોતાની કેરેક્ટર પોતે પ્લે કરશે, તો તેમની સાથે કામ કરવું ગમશે. પરંતુ તે તેની ના પાડે છે, તો તેમને લાગે છે કે કપિલની જગ્યાએ કૃષ્ણા અભિષેક ફિટ રહેશે.


નિર્દેશક વિનોદ તિવારીનું કહેવું છે કે બંને જ કોમેડી લોકપ્રિય છે, એટલા માટે કપિલ શર્માના ચરિત્રને ન્યાય કરી શકશે. કપિલ શર્માની બાયોપિકના વિચાર વિશે વિનોદ તિવારીએ કહ્યું કે ફિલ્મ 'સંજૂ' જોયાબાદ એક બાયોપિક બનાવવા માટે પ્રેરિત થયા અને મને લાગે છે કે તે બાયોપિક કપિલ શર્માની હોઇ શકે છે. મને લાગે છે કે તેમની સ્ટોરીને બહાર આવવું જોઇએ. તેના માટે મેં પ્રોડ્યૂસર સાથે વાત કરી, જે કપિલની બાયોપિક બનાવવામાં રસ ધરાવે છે. જોકે હું વર્ષ 2010માં કપિલ બાયોપિક બનાવવા માંગતો હતો, ત્યારે પ્રોડ્યુસર રેડી ન હતા, પરંતુ હવે તૈયાર છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ 'તેરી ભાભી હૈ પગલે' 13 જુલાઇએ રિલીજ થવાની છે.