KRK Reveals about Ranveer Singh's launch in Bollywood: બોલીવુડના જાણીતા ફિલ્મ ક્રિટિક્સ અને અભિનેતા કેઆરકે છાશવારે રિલાઝ થયેલી ફિલ્મના રિવ્યુ માટે જાણીતા છે. એટલું જ નહીં અનેકવાર બોલીવુડ કલાકારો પર કમેન્ટ્સ પણ કરતા જોવા મળે છે. કેઆરકે તેમના વિવાદિત નિવેદનના કારણે મુસીબતમાં પણ મૂકાય છે. તેમના વિરુદ્ધ હાલમાં જ એક કાનૂની મામલો સામે આવ્યો હતો જેમાં સલમાન ખાને કેઆરકે પર અભિનેતાની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચાલી રહ્યો હતો. હવે કેઆરકેએ એકવાર ફરીથી ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હાલમાં જ તેમણે યશરાજ પ્રોડક્શન્સ દ્વારા રણવીર સિંહની બોલીવુડમાં થયેલી એન્ટ્રી વિશે વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર સિંહ બોલીવુડમાં સૌથી સારા અભિનેતામાંથી એક ગણાય છે. રણવીર સિંહને આદિત્ય ચોપડાએ યશરાજ પ્રોડકશન્સ દ્વારા ફિલ્મ 'બેંડ બાજા બારાત'થી લોન્ચ કર્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે અનુષ્કા શર્માએ પણ અભિનય કર્યો હતો. ફિલ્મ સુપરહીટ હતી. આ ફિલ્મ બાદ રણવીર સિંહને બોલીવુડમાં એક અલગ ઓળખ મળી. હવે કેઆરકેએ દાવો કર્યો છે કે રણવીર સિંહને આદિત્ય ચોપડાએ લોન્ચ નહતો કર્યો પરંતુ વાઈઆરએફ ફક્ત રણવીર સિંહની  બોલીવુડ એન્ટ્રીનો એક રસ્તો હતો. 


Video...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube