મુંબઈઃ બોલીવુડના ગાયિકા લતા મંગેશકરની તબીયત ખરાબ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેમની સ્થિતિ ગંભીર છે અને તે આઈસીયૂમાં છે. તેમને આજે બપોર બાદ દાખલ કરવામાં આવ્યા હતા. 

શું હતી છેલ્લી સોશિયલ મીડિયા ગતિવિધિ
સોશિયલ મીડિયા પર તેમની છેલ્લી ગતિવિધિની વાત કરીએ તો તેમણે ટ્વીટર પર પદ્મિની કોલ્હાપુરૂની ફિલ્મ પાનીપતમાં તેના રોલ માટે શુભકામના આપી હતી. મહત્વનું છે કે 28 સપ્ટેમ્બરે લતાજી 90 વર્ષના થઈ ગયા હતા.