નવી દિલ્હી : ફિલ્મમેકર મહેશ ભટ્ટ હાલમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. હવે તેઓ બહુ લાંબા સમય પછી ફિલ્મ સડક 2થી ડિરેક્શનમાં પરત ફરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની બંને દીકરીઓ પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ કામ કરી રહી છે. હવે તેમણે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે દિવ્યાંગ લોકોને વધારેમાં વધારે  તક મળવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ એલિમ્બિક  અસોશિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક ચર્ચામાં મહેશ ભટ્ટ દીકરી પુજા સાથે હાજર હતા. તેમણે કોર્પોરેટ હાઉસમાં દેશના દિવ્યાંગ લોકોને તક આપવાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું છે કે ''આપણે દિવ્યાંગ લોકોને સમર્થન આપવું જોઈએ અને જો આપણે એવું ન કરી શકીએ તો તેમની સાથે મોટો અન્યાય થશે. જે સમાજ પોતાની પ્રગતિમાં તથાકથિત નબળા લોકોને શામેલ નથી કરતો એ કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે કાબેલ નથી.''


પૂજા ભટ્ટે આ વિશે વાત કરતા કહ્યું કે ''એકવાર મારા પિતાએ મને કહ્યું હતું કે કેટલાક લોકોને સમાજમાંથી બધુંમ જ મળે છે પણ તેઓ એના બદલામાં સમાજને કંઈ નથી આપતા. જોકે અમારો અભિગમ અલગ છે. અમે દરેક ફિલ્મમાં નવી પ્રતિભાને અવસર આપીએ છીએ. આ પછી પણ અમે ઉપકાર કરતા હોઈએ એવો અભિગમ નથી રાખતા. હકીકતમાં શ્રમની ગરિમા મહત્વની છે.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...