નવી દિલ્હી : પાકિસ્તાનમાં ગેર ઇસ્લામિક લોકો પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચારોથી બોલિવૂડનો એક એક્ટર બહુ અપસેટ છે. તેણે હવે મોદી સરકારને પાકિસ્તાનના ગેર ઇસ્લામિક લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની અપીલ કરી દીધી છે. આ અપીલને કારણે તેઓ ટ્વિટર પર છવાઈ ગયા છે. 


બોલિવૂડ એક્ટર કમાલ આર ખાન (Kamaal R Khan) હંમેશા ટ્વિટર પર એક્ટિવ રહે છે. તે મોટાભાગના રાજકીય મુદ્દાઓ પર પોતાનો પ્રતિભાવ આપતો રહે છે. હવે KRK એક નવા કારણથી ચર્ચામાં છે. એક સમયે પીએમ મોદીનો વિરોધ કરનાર KRKએ મોદી સરકારને માનવીય અપીલ કરી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...