નવી દિલ્હી: ભારત રત્ન લતા મંગેશકર કોવિડથી સંક્રમિત થયા બાદ 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે દુનિયાને અલવિદા કહી દીધું. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો. આજે સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયાં હતા. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતા મંગેશકરને અંજલિ આપવા માટે મુંબઈ પહોંચશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લતા દીના ભાઈએ આપી મુખાગ્નિ
પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

પંચતત્વમાં વિલીન થયા સ્વર કોકિલા લતા મંગેશકર
સાંજે 7.15 વાગ્યાની આસપાસ લતા મંગેશકરના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ક્ષણ આખા દેશને ભાવુક કરી દેનારી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube