મુંબઈ : ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ દીપશિખા નાગપાલ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. દીપશિખાના પતિ કેશન અરોડાના લગ્નનો અંત થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે આ જોડી વચ્ચે ત્રણ વર્ષ પહેલાં મોટો ઝઘડો થયો હતો. જોકે સમયની સાથેસાથે ઝઘડાનો અંત તો આવી ગયો છે પણ લગ્નનો પણ ભોગ લેવાઈ ગયો છે. દીપશિખાએ 2012માં કેશવ સાથે રિવાજપૂર્વક લગ્ન કર્યા હતા. દીપશિખાના આ બીજા લગ્ન હતા પણ હવે એનો પણ અંત આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિકર્ણિકાનો ઝપાટો : બીજા દિવસે કરી પહેલા દિવસ કરતા પણ ડબલ કમાણી 


[[{"fid":"200807","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


કેશવ સાથે લગ્ન કરતા પહેલાં દીપશિખાએ જીત ઉપેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા પણ તેમના ડિવોર્સ થઈ ગયા હતા. દીપશિખા અને જીતને બે બાળકો છે જે દીપશિખા સાથે જ રહે છે. 2016માં દીપશિખા અને કેશવ વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને દીપશિખાએ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે પોલીસ ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે કેશવથી તેને અને તેના બાળકોને ખતરો છે. જોકે, પછી તેમના મતભેદનો અંત આવ્યો હતો. 


હાલમાં દીપશિખા પોતાની સિરિયલ અર્ધાગિનીમાં વ્યસ્ત છે. આ સિરિયલનું શૂટિંગ જયપુરમાં ચાલી રહ્યું છે. કેશવ સાથેના પોતાના સંબંધો વિશે દીપશિખાએ કહ્યું છે કે અમારી વચ્ચે હાલમાં કોઈ સંબંધ નથી. તે પોતાનું જીવન જીવી રહ્યો છે અને હું મારું. હું માત્ર મારી એક્ટિંગ કરિયર પર ફોકસ કરવા ઇચ્છું છું.  દીપશિખા ટીવી સિવાય અનેક ફિલ્મોમાં જોવા મળી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...