નવી દિલ્હી: દેશની મનપસંદ વેબ સીરીઝમાંથી એક 'મિર્ઝાપુર' (Mirzapur) ના એક પ્રસિદ્ધ એક્ટરનું મોત થઇ ગયું. આ સમાચારને સાંભળીને ફેન્સને ઉંડો આઘાત પહોંચ્યો છે. એક્ટરના નિધનની જાણકારી સાથી કલાકારે પોતાના ઇંસ્ટાગ્રમા પર આપી. જોકે મોતના કારણનો હજુ સુધી ખુલાસો થઇ શક્યો નથી. આ સમાચારને જાણ્યા બાદ ફેન્સમાં શોકની લહેર દોડી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવેન્દુએ આપી જાણકારી
વેબ સીરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના પાકા મિત્ર લલિતનો રોલ ભજવનાર બ્રહ્મા મિશ્રા (Bramha mishra) નું મોત નિપજ્યું છે. તેમના સાથી કલાકાર દિવ્યેન્દુ શર્માએ પોતે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી દીધી છે. આ દુખભર્યા સમાચાર સાંભળ્યા બાદ બ્રહ્મા મિશ્રા ઉર્ફે લલિતના ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અચાનકથી દિવ્યેન્દુએ Rip પોસ્ટ લખતાં બ્રહ્મા મિશ્રાનો પોતાની સાથે એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે 'Our Lalit Is No more" એટલે કે આપણા લલિત હવે જીવિત નથી. 


મિર્ઝાપુરમાં ભજવ્યો હતો મહત્વપૂર્ણ રોલ
દિવેન્દુ શર્માએ સૌથી પહેલાં બ્રહ્મા મિશ્રાના મોતના સમાચાર પોતાના ઇંસ્ટાગ્રામમાં શેર કરી પરંતુ બ્રહ્મા મિશ્રાનું મોત કેવી રીતે થયું. તમને યાદ અપાવી દઇએ કે બ્રહ્મા મિશ્રાએ 'મિર્ઝાપુર' વેબ શોમાં લલિત નામના એક છોકરાનું પાત્ર ભજવ્યું હતું જે કાલીન ભૈયાના પુત્ર મુન્ના ભૈયાનો જીગરી મિત્ર હતો. મિર્ઝાપુરની બીજી સિઝનમાં લલિતના નામ પર ઘણા મીમ્સ પણ બન્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube