નવી દિલ્હી : બોલિવૂડમાં હાલમાં બાયોપિકનો દોર ચાલી રહ્યો છે. આ પરંપરામાં આજે રિલીઝ થઈ છે 'ઠાકરે'. આ ફિલ્મ મહારાષ્ટ્રના ઇતિહાસના સૌથી દમામદાર નામ ગણાયેલા બાલા સાહેબ ઠાકરેના જીવન પર બની છે. ફિલ્મમાં બાલા સાહેબનો રોલ નવાઝુદ્દીન સિદ્દીકી ભજવી રહ્યો છે. બાલા સાહેબ વિશે કહેવાય છે કે તેમણે કોઈ પણ પદ પર રહ્યા વગર મહારાષ્ટ્રની રાજનીતિને લાંબા સમય સુધી આકાર આપ્યો છે. 2012માં બાલા સાહેબ ઠાકરેનું નિધન થઈ ગયું હતું. આ ફિલ્મ હિન્દી અને મરાઠી ભાષામાં રિલીઝ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FILM REVIEW : દેશભક્તિથી છલકાય છે કંગનાની 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'


બાલ ઠાકરેના જીવન પર બનેલી આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે તેમણે મરાઠી લોકો માટે લડાઈનું બ્યુગલ ફુંક્યું અને કઈ રીતે શિવસેના સંગઠનમાંથી એક પાર્ટી બની. આ ફિલ્મમાં બાલા સાહેબના સારા અને ખરાબ બંને પાસાઓને દેખાડવામાં આવ્યા છે. ઠાકરેના રોલમાં નવાઝુદ્દીને તેમજ મીના તાઈના રોલમાં અમૃતા રાવે સારું પર્ફોમન્સ આપ્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...