નવી દિલ્હી : મુંબઇમાં થઇ રહેલા વરસાદના કારણે સમગ્ર શહેર બેહાલ છે.  અનેક બોલિવુડ સ્ટારનું શેડ્યુલ વરસાદના કારણે પ્રભાવિત થયું છે. સ્ટારે સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યાઓની માહિતી પણ આપી છે. આ તરફ ટીવી એક્ટર નમિશ તનેજાએ પરેશાન કરનારી ઘટનાને વહેંચ્યું છે. એક્ટરે જણાવ્યું કે, વરસાદનાં કારણે હું જીવતો બચી ગયો, આ વાતનો આભારી છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપી પોતાના નવા સારથીને શોધે: રાહુલની સ્પષ્ટતા
નમિશ તનેજાએ સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, હું પોતાના પરિવારની સાથે કાર પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમને એક કડાકો સાંભળવા મળ્યો. તેવું લાગી રહ્યું છે જે પ્રકારે કોઇ વસ્તુ ગાડી પર પડી છે. ત્યારે જ આસપાસ હાજર લોકોનાં અવાજ સંભળાયો, તેઓ બોલી રહ્યા હતા વિજળી પડી - વિજળી પડી. 


હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે 
HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
નમિશ તનેજાએ જણાવ્યું કે, લોકોનાં અવાજ સાંભળીને આપણે તે અંદાજ થયો કે કાર પર વિજળી પડી છે. અમે પોત પોતાના હાથ બાંધી લીધા અને કોઇ પણ મેટાલિક વસ્તુનો સ્પર્શ કર્યો નહી. જ્યારે અમે બહાર નિકળ્યા, ત્યારે થયું કે અમે સુરક્ષીત છીએ. હું ઇશ્વરનો આભારી છું કે મારો જીવ બચી ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે, તનેજા હાલના દિવસોમાં સોની ટીવીનાં શો मैं मायके चली जाउंगी માં જોવા મળશે.


દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર
સમરના કિરદારમાં નમિશ તનેજાનો ફેન્સે વખાણ્યો છે. મુંબઇના કારણે વરસાદથી અનેક સ્ટાર્ટ ફસાયા હોવાના સમાચાર હાલમાં જ આવ્યા છે. અક્ષય કુમાર પોતાનાં પરિવાર સાથે લંડન રવાના થવાના હતા. જો કે વરસાદના કારણે ફ્લાઇટ કેન્સલ કરવી પડી અને અક્ષય એરપોર્ટથી પરત ફર્યા. રકુલપ્રીતે પણ એરપોર્ટ પર ફસાયેલા રહેવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી.