મુંબઈ : દીપિકા-રણવીર અને પ્રિયંકા-નીક પછી હવે વરૂણ ધવન લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. વરૂણ ધવન અને નતાશા દલાલનો પ્રેમસંબંધ કોઈ સિક્રેટ નથી. હવે માહિતી મળી છે કે નતાશાએ પોતાના લગ્નની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે કારણ કે વરૂણ અને નતાશાએ 2019માં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. મળતી માહિતી પ્રમાણે નતાશાના પરિવારે લગ્ન માટે ચાંદીના વાસણોની તેમજ કપડાંની ખરીદી શરૂ કરી દીધું છે તેમજ ફ્લાવર ડેકોરેશનનું પ્લાનિંગ કરી નાખ્યું છે. નતાશા દલાલ કોઈ બોલિવૂડ અભિનેત્રી નથી પણ ડિઝાઈનર છે. વરુણ છેલ્લા ઘણા વર્ષોથી નતાશાને ડેટિંગ કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરુણ ધવને આ અંગે એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે. હું લગ્ન કરવા માગું છું, એક સમય એવો આવે છે જ્યારે તમારે જીવનમાં આ નિર્ણય લેવો જ પડે છે. માનવામાં આવે છે કે તેમના લગ્ન એક  ડેસ્ટિનેશન વેડિંગ હશે. આ બંને  ડિસેમ્બર સુધી ગોવામાં લગ્ન કરી શકે છે. હાલમાં આ  બંનેએ ડિસેમ્બર સુધી લગ્ન કરવાની તૈયારી કરી છે. તેઓ ગોવામાં બીચ વેડિંગની શક્યતા તપાસી રહ્યા છે. 


લગ્ન વિશે વરૂણે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે તેનો પરિવાર પંજાબી છે તેથી પંજાબી રીત રિવાજ પ્રમાણે પરંપરાગત લગ્ન કરવા માગે છે. વરુણ હાલમાં જ પોતાના માતા પિતાના ઘરમાંથી શિફ્ટ થયો છે. સૂત્રો અનુસાર વરૂણ આ વર્ષે લગ્ન કરશે તેથી પોતાના નવા ઘરમાં શિફ્ટ થયો છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા વરુણ અને નતાશાના બ્રેકઅપની ખબર આવી હતી પણ હવે આ કપલની લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. 'કલંક'ની રિલીઝ વખતે સમાચાર હતા કે આ બંને નવેમ્બરમાં લગ્ન કરી શકે છે પણ એ સમયે વરૂણે આ ચર્ચાનું ખંડન કરી દીધું હતું. જોકે લાગે છે કે કલંકની નિષ્ફળતા પછી હવે જલ્દી લગ્ન કરી દેવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...