નવી દીલ્હી: જાણીતી બંગાળી અભિનેત્રી અને પોલિટિશિયન નુસરત જહાં છેલ્લા ઘણા સમયથી પોતાની લવ સ્ટોરીના કારણે ચર્ચામાં છે. બિઝનેસમેન નિખિલ જૈન સાથે અચાનક લગ્ન તોડવા, પુત્રનો જન્મ, અને પછી અભિનેતા યશદાસ ગુપ્તા સાથે લિંકઅપના સમાચાર... જો કે હવે નુસરતે પોતાની લવ લાઈફ પર ખુલીને વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું તમારી સાથે ભાગી હતી
નુસરતે પહેલીવાર યશદાસ સંગ પોતાની લવ સ્ટોરી બધાની સામે સ્વીકારી છે. તેણે એક રેડિયો શોમાં દરેક સવાલનો બેબાકીથી જવાબ આપ્યો. શોમાં યશે નુસરત સાથે પોતાની લવ સ્ટોરી પર અભિનેત્રીને જવાબ આપવા જણાવ્યું. તેણે તેના પર જરાય ખચકાયા વગર કહ્યું કે, 'હું તમારી સાથે ભાગી હતી.' ત્યારે યશ કહે છે તુ ભાગી હતી? એનો અર્થ છે કે આપણે હાથ પકડીને રસ્તા પર ભાગી રહ્યા હતાં?


નુસરતે પ્રેમની વ્યાખ્યા આપી
નુસરતે આગળ પોતાના શબ્દોને સાચા ઠેરવતા કહ્યું કે હું તમારી સાથે ફરાર થઈ ગઈ હતી. આ કદાચ સાચો શબ્દ છે. તેણે કહ્યું કે આ એપિસોડ 'મારો પ્રેમ', 'મારી પસંદ' પર આધારિત છે. બાકી બધુ તો હિસ્ટ્રી છે. 


યશે આગળ સવાલના જવાબમાં નુસરતને પ્રેમને ડિફાઈન કરવાનું કહ્યું. જેના પર અભિનેત્રીએ કહ્યું કે એક બીજા સાથે હોવું ખુશીઓ લઈને આવે છે. આમ કરવું હંમેશા સરળ હોય છે. પ્રેમ મુશ્કેલ છે, પરંતુ તેને ખુબ પ્રેમ સાથે દરરોજ ડીલ કરી શકાય છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Ishq (@ishq.fm)


લગ્નનો ન થયો ખુલાસો
નોંધનીય છે કે નુસરત અને યશદાસે ક્યારેય એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેમણે બંનેએ લગ્ન ક્યારે કર્યા. પરંતુ નુસરતની મીડિયા પોસ્ટથી એ વાતનો સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે તે યશ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. નુસરતે થોડા સમય પહેલા એક કેકનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેના પર પતિ અને ડેડ લખ્યું હતું. 


2019માં થયા હતા યશ સાથે લગ્ન
અત્રે જણાવવાનું કે નુસરતે 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જેને થોડા સમયમાં જ અમાન્ય ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર થયા નથી. આથી આ લિવઈન રિલેશનશીપ જ ગણી શકાય. તેમના લગ્ન તૂટવા અને પછી યશ સાથેના સંબંધની ખબરોએ ફેન્સને ખુબ પરેશાન કર્યા હતા.