નવી દિલ્હીઃ પંચાયત 2ની આંચલ તિવારી સહી સલામત છે. હકીકતમાં આ પહેલા ભોજપુરી સિનેમાના 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. રોડ દુર્ઘટનામાં મૃ્ત્યુ પામનાર નવ ભોજપુરી સ્ટાર્સમાં એક સ્ટારનું નામ આંચલ તિવારી હતું. તેવામાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે પંચાયત 2 ફેમ આંચલ તિવારીનું મોત થઈ ગયું છે. પરંતુ જે આંચલ તિવારીનું મૃત્યુ થયું છે તે ભોજપુરી અભિનેત્રી નથી. તો પંચાયત-2ની આંચલ તિવારી જીવીત છે અને સુરક્ષિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંચલે આપ્યા પોતાની સલામતીના સમાચાર
નોંધનીય છે કે આંચલ તિવારીએ પંચાયત 2માં પ્રધાનજીની પુત્રી રિંકીની બહેનપણીની ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જ્યારે પંચાયત 2ની આંચલ તિવારીના મોતના સમાચાર સામે આવ્યા તો તેના ફેન્સ ચિંતામાં પડી ગયા હતા. તેવામાં આંચલ તિવારી સામે આવી અને વીડિયો દ્વારા પોતાની સલામતીના સમાચાર આપ્યા છે. આંચલે સ્પષ્ટ કર્યું કે તે એકદમ ઠીક છે અને જે આંચલ તિવારીનું મોત થયું છે તે ભોજપુરી અભિનેત્રી હતી.


આ પણ વાંચોઃ OTT પર રિલીઝ થશે પરિણીતી-દિલજીતની ફિલ્મ Chamkila, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ


વીડિયોમાં શું બોલી આંચલ?
આંચલે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી કહ્યું- નમસ્કાર મારૂ નામ આંચલ તિવારી છે. કાલે તમે ન્યૂઝ જોયા કે પંચાયત ફેમ આંચલ તિવારીનું મોત થઈ ગયું છે. તે આંચલ તિવારી ભોજપુરી અભિનેત્રી છે. પંચાયત 2ની આંચલ તિવારી અહીં છે. સહી સલામત અને સુરક્ષિત. મારે ભોજપુરી સિનેમા સાથે કોઈ લેવાદેવા નથી. હું હિન્દી સિનેમા કરુ છું તેથી પ્લીઝ મારી સરખામણી ભોજપુરી સાથે ન કરો. કેટલાક લોકો મને પૂનમ પાંડે સાથે કમ્પેર કરી રહ્યાં છે. હું તમને જણાવી દઉં કે આ ફેક ન્યૂઝમાં મારો કોઈ હાથ નથી. 


રોડ અકસ્માતમાં થયા હતા 9 લોકોના મોત
મહત્વનું છે કે 25 ફેબ્રુઆરી 2024ના સમાચાર સામે આવ્યા હતા કે એક એસયુવી અને બાઇકની ટક્કર થઈ ગઈ હતી. આ રોડ અકસ્માતમાં ભોજપુરી સિંગર છોટૂ પાંડે અને બે અભિનેત્રીના મોત થયા હતા. એક ભોજપુરી અભિનેત્રીનું નામ પણ આંચલ તિવારી હતું. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા હતા.