નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક જલદી થિયેટરમાં રિલિઝ થવા જઈ રહી છે. અત્યાર સુધી સામે આવેલા ફિલ્મના પોસ્ટર અને હોળીના દિવસે રિલીઝ થયેલા ટ્રેલરને જે રીતે લોકો પસંદ કરી રહ્યાં છે તે જણાવે છે કે દર્શકો આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે હાલમાં જ ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. જેમાં ફિલ્મના સોન્ગ રાઈટરના સ્થાને ગીતકાર જાવેદ અખ્તરનું નામ લખ્યું છે. પરંતુ જેવી જાવેદ અખ્તરની નજર આ પોસ્ટર પર પડી કે તેમણે ફિલ્મમેકર્સને સોશિયલ મીડિયામાં ખખડાવી નાખ્યાં. જાવેદ અખ્તરનું કહેવું છે કે તેમણે આ ફિલ્મના ગીતો લખ્યા નથી. જો જાવેદનું માનીએ તો ફિલ્મમેકર્સે દર્શકોને ખોટું જણાવ્યું છે. 



હવે જાવેદ અખ્તરે ટ્વિટ એકાઉન્ટથી 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે મને ફિલ્મનું પોસ્ટર જોઈને શોક લાગ્યો છે. મેં આ ફિલ્મનું એક પણ ગીત લખ્યું નથી. હવે હકીકત શું છે તે વાતનો ખુલાસો તો ત્યારે થશે જ્યારે જાવેદની વાતનો કોઈ જવાબ આપશે. કારણ કે અત્યાર સુધી મેકર્સ તરફથી આ અંગે કોઈ જાણકારી અપાઈ નથી. 


જુઓ ફિલ્મનું ટ્રેલર...