નવી દિલ્હી: લોકપ્રિય ગાયક ગુરુ રંધાવા પર કેનેડાના વેંકુવરમાં કોઇ અજાણ્યા વક્તિએ હુમલો કર્યો, જેનાથી તે ઇજાગ્રસ્ત થયો છે. જોકે હવે રંધાવા ખતરાથી બહાર છે. આ વાતની જાણકારી તેના મિત્ર તેમજ પંજાબી સિંગર પ્રીત હરપાલે તેમના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમણે આ હુમલાની નિંદા પણ કરી છે. તેમણે તેમના પોસ્ટમાં લખ્યું છે, હું ગુરુને ઘણા સમયથી ઓળખુ છું. તે ખૂબ જ વાસ્તવિક વ્યક્તિ છે. તે હમેશા બીજાની રિસ્પેક્ટ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રીત હરપાલ તે સમયે ત્યાં હાજર હતા જ્યારે ગુરુ રંધાવા પર કોઇ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ઉન્નાવ રેપ કેસ: આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ પાર્ટીમાંથી કર્યો સસ્પેન્ડ



બોલિવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..