મુંબઈ: સાઉથની એક્શન ફિલ્મોની હાલ ચારેબાજુ બોલબોલા છે. જ્યારથી સાઉથની પુષ્પા ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી સોશિયલ મીડિયાથી લઈને ચારેબાજુ નાનાથી માંડી મોટા સુધી પુષ્પાનો ફીવર માથે ચઢ્યો હતો. પુષ્પા - ધ રાઇઝની અપાર સફળતા બાદ ચાહકો આતુરતાથી ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. તે દરમિયાન, ફિલ્મ પુષ્પાની હિરોઈન શ્રીવલ્લી વિશે એવા અહેવાલો મળ્યા હતા કે તે પુષ્પા 2 માં મૃત્યુ પામશે. ત્યારબાદ ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી હતી. ચાહકોની આવી પ્રતિક્રિયા જોઈને ફિલ્મના નિર્માતાઓએ હવે મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર ઉડતા આ સમાચારોની સત્યતા વિશે માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ પુષ્પાના નિર્માતા વાય. રવિ શંકરે શ્રીવલ્લીની ભૂમિકાના મોતના સમાચાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફિલ્મના બીજા ભાગમાં આવું કંઈ થવાનું નથી. પહેલાની જેમ પુષ્પા 2માં પણ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડી લીડ રોલમાં જોવા મળશે. તેમણે જણાવ્યું, "આ બધુ બકવાસ છે. અમે અત્યાર સુધી કહાની સાંભળી નહોતી, તેથી એવું કંઈ નથી, અને આ બધી અટકળો છે. હાલના સમયે લોકો તે ફિલ્મ પર કંઈપણ લખે છે, જેના વિશે કોઈને કંઈ ખબર નથી, તેથી જ દર્શકો તેના પર વિશ્વાસ કરે છે. આવા સમાચાર અન્ય વેબસાઇટ્સ અને ટીવી ચેનલો દ્વારા પણ ફેલાવવામાં આવે છે, પરંતુ તે ખોટા સમાચાર છે. આ સાથે રવિશંકરે રશ્મિકાની પાર્ટ 2માં હોવાની પુષ્ટિ કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube