મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનો (Shravan Kumar Rathod) મૃતદેહ આપવાનો મુંબઈની (Mumbai) રહેજા હોસ્પિટલે (Raheja Hospital) ઇનકાર કરી દીધો છે. જ્યારે હોસ્પિટલના વહીવટીતંત્રને આ નિર્ણયના કારણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ ચોંકાવનારા જવાબ આપ્યા.


10 લાખ રૂપિયાનું બિલ બન્યું કારણ
કેઆરકે બોક્સ ઓફિસ ઇન્ડિયાએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો છે કે, હોસ્પિટલે શ્રાવણકુમાર રાઠોડનો મૃતદેહ તેના પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયાનું બિલ જમા નહીં કરવા બદલ આપવાની ના પાડી હતી. આ વાત પણ સામે આવી છે કે, રાઠોડના નામે એક હેલ્થ પોલિસી છે, તેના અંતર્ગત આખું બિલ વીમા કંપની જમા કરશે. પરંતુ હોસ્પિટલના વહીવટીતંત્રે એડવાન્સમાં બિલ જમા કરાવાની જીદ કરી છે. જો કે, હજી સુધી આ અંગે શ્રવણ કુમાર રાઠોડના પરિવારનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube