નવી દિલ્હીઃ Ramayan re telecast: કોરોના મહામારીએ એકવાર ફરી પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. સતત લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેની અસર હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર પણ જોવા મળી છે. એક બાદ એક સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. તો દેશમાં લૉકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે. તેવામાં એકવાર ફરી પાછલા વર્ષની જેમ રામાનંદ સાહરની રામાયણનું પ્રસારણ કરવામાં આવશે. પાછલા વર્ષે લૉકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. હવે રામાયણના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એકવાર ફરી રામાયણનું પ્રસારણ શરૂ થવા જઈ રહ્યું છે. આવો જાણીએ ક્યા સમયે અને કઈ ચેલન પર આવશે રામાયણ.


'અનુપમા' માં આવશે આ 5 ધમાકેદાર ટ્વિસ્ટ, આ દમદાર અભિનેતાની થશે એન્ટ્રી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે આ રામાયણમાં રામ લક્ષ્મણ, સીતા અને રાવણની મહત્વપૂર્ણ ભૂમિકામાં અરૂણ ગોવિલ, સુનીલ લહરી, દીપિકા ચિખલિયા અને અરવિંદ ત્રિવેદી હતી. તો રામાયણે ભારતના દરેક ઘરમાં અલગ ઓળખ બનાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube