નવી દિલ્હી: રામાનંદ સાગરની 'રામાયણ (Ramayan)' માં સુગ્રીવ (Sugriv)નું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાની (Shyam Sundar Kalani)નું નિધન થઇ ગયું છે. આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર રામનું પાત્ર ભજવનાર એક્ટર એક્ટર ગોવિલ (Arun Govil) આપી. તેમણે પોતાના સાથી કલાકારના નિધન પર શોક વ્યક્ત કરતાં એક ભાવુક પોસ્ટ કરી છે. 


અરૂણ ગોવિલે ટ્વિટર પર લખ્યું ''મિસ્ટર શ્યામ સુંદરના નિધનના સમાચાર સાંભળી દુખી છું. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવ્યું છે. ખૂબ સારા માણસ અને સજ્જન વ્યક્તિ. ઇશ્વર તેમની આત્માની શાંતિ આપે.'' હવે તેમની આ પોસ્ટ પર લોકો શ્યામ સુંદર કલાની માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube