મુંબઇ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં પોતાના લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં તેમના લગ્નનું એક કાર્ડ વાયરલ થયું હતું. જોકે પછી ખબર પડી કે તે કાર્ડ ફેક હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આલિયા અને રણબીર આ નવેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પોટબોયના સમાચાર અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર બે અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. કપલ ફ્રાંસમાં લગ્ન કરશે. તેમના લગ્ન માટે શેફ ઋતુ ડાલમિયાને કેટરિંગનું અરેજમેન્ટ માટે એપ્રોચ કરવામાં આવ્યું છે. 


બંનેના લગ્ન સમાચારોમાં કેટલી સચ્ચાઇ છે તો આગામી સમયમાં ખબર પડશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં અર્જુન કપૂર અને મલાઇકા અરોડાના લગ્નના સમાચાર પણ ખૂબ વાયરલ થયા હતા. પરંતુ આ સમચારો ફક્ત અફવા સાબિત થયા હતા.



વાયરલ થયું હતું કે લગ્નનું કાર્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર રણબીર અને આલિયાના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું. વાયરલ કાર્ડમાં લગ્નની ડેટ 22 જાન્યુઆરી 2020 જણાવવામાં આવ્યું હતું. આ વાયરલ કાર્ડ પર આલિયા ભટ્ટનું રિએક્શન પણ આવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે મેમ એક સમાચાર સાંભળવા મળ્યા છે કે 22 જાન્યુઆરી 2020ના રોજ એટલું સાંભળતાં જ આલિયા જોરજોરથી હસવા લાગી હતી અને ત્યાંથી જતી રહી હતી. પછી સમાચાર આવ્યા કે આ કાર્ડ ફેક હતું. વર્ક ફ્રંટ પર આલિયા-રણબીર ફિલ્મ 'બ્રહ્માસ્ર'માં સાથે જોવા મળશે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. તેને અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે. મૂવીનો લોકો લોન્ચ થઇ ચૂક્યો છે.