નવી દિલ્હી : રણવીર સિંહ વર્ષ 2018માં મીડિયામાં છવાયેલો રહ્યો અને નવેમ્બરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા તો એક મહિના સુધી સતત મીડિયામાં ચમકતો રહ્યો. રણવીર સિંહ હાલમાં બોલીવુડમાં સૌથી મોટો પ્રોમિસિંગ એક્ટર પૈકીનો એક છે. દીપિકા માટેનો એનો પ્રેમ જગ જાહેર છે પરંતુ કેરિયરના પ્રારંભના દિવસોમાં રણબીરનું દિલ અનુષ્કા શર્મા પર આવી ગયું હતું. બંને એકબીજાને કેટલાક સમય સુધી ડેટ પણ કરતા હતા પરંતુ આ સંબંધ લાંબો ન ચાલ્યો અને બાદમાં સંબંધ તૂટી ગયા હતા. જેને લઇે રણવીર દીપિકાના લગ્નમાં અનુષ્કા આવશે કે કેમ એ ચર્ચાસ્પદ બન્યું હતું. જોકે અનુષ્કાએ હાજરી આપતાં એ પણ મીડિયામાં છવાયું હતું. દરમિયાન તાજેતરમાં રણવીર સિંહે એક ઇન્ટરવ્યૂમાં લગ્નમાં અનુષ્કાની હાજરીને ખાસ ગણાવતાં ફરી એકવાર આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેન્ડ, બાજા બારાતથી બોલીવુડમાં એક યુગલની રીતે અન્ટ્રી લેનાર આ જોડીના સંબંધો ભારે ચર્ચાસ્પદ રહ્યા હતા. પરંતુ આ સંબંધ લાંબો ચાલ્યો ન હતો અને બંનેના રસ્તા અલગ થઇ ગયા હતા. અનુષ્કા શર્માએ વર્ષ 2017ના ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે સાત ફેરા લીધા તો નવેમ્બર 2018માં દીપિકા સાથે રણબીર સિંહે લગ્ન કર્યા. 


મુંબઇમાં યોજાયેલા રિસેપ્શનમાં બોલીવુડનો જમાવડો લાગ્યો હતો અને આ પાર્ટીમાં અનુષ્કા શર્મા પણ પહોંચી હતી. આ વાતથી ખુશ થયેલા રણવીર સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અનુષ્કાનું લગ્નમાં આવવું એના માટે ખાસ હતું અને આ એક યાદગાર મહેમાનનવાજી હતી. 


આપને જણાવીએ કે વર્ષ 2013માં એક ઇન્ટરવ્યૂમાં રણબીરે કહ્યું હતું કે, એમના બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે અને તે તેણીને મીસ કરી રહ્યો છે. અનુષ્કા અંગે વાત કરતાં રણબીર સિંહે કહ્યું હતું કે તે ઘણી સારી છે અને ઘણા લોકો એને સમજી શકતા નથી. લોકોને સમજાતું જ નથી કે તેણી ક્યાંથી આવી છે અને કેવી વ્યક્તિ છે. બે વર્ષ બાદ 2015માં જોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોમાં બંનેએ સાથે કામ કર્યું હતું.