નવી દિલ્હી : બોલીવુડ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હીની એક હોસ્પિટલમાં ભરતી થયા છે. એમની સાથે નીતૂ કપૂર (Neetu Singh Kapoor) રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ હોસ્પિટલ આવ્યા છે. આલિયા પોતાની ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ પૂર્ણ કરીને દિલ્હી આવી પહોંચી છે. ઋષિ કપૂરની પુત્રી રિધ્ધિમા કપૂર પોતાના પતિ સાથે દિલ્હીમાં રહે છે એ પણ હોસ્પિટલમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ અનુસાર ઋષિ કપૂરને ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઋષિ કપૂરએ પીટીઆઇને જણાવ્યું કે, એમને ઇન્ફેક્શન લાગ્યું છે. જેની સારવાર ચાલી રહી છે. ચિંતાનું કોઇ કારણ નથી. મને લાગે છે કે કદાચ વાતાવરણના પ્રદુષણની અસરથી આવું થયું હોઇ શકે છે. જોકે હાલમાં તબિયતમાં સુધારો છે. 


ઋષિ કપૂર છેલ્લા કેટલાક સમયથી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવીને વતન પરત ફર્યા છે. સારવાર માટે નીતૂ સિંહ કેટલાક મહિનાઓ માટે ન્યૂયોર્કમાં રહ્યા હતા. સમય સમય પર આલિયા અને રણબીર પણ ન્યૂયોર્ક ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


મનોરંજન જગતના લેટેસ્ટ ન્યૂઝ જાણો