હૈદરાબાદ: અભિનેત્રી સામંથી રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) એ આખરે અક્કિનેની નાગા ચૈતન્યા સાથેના પોતાના છૂટાછેડા અને પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પડનારી અસર અંગે ખુલીને વાત કરી. થોડા સમય પહેલા જ ટોલીવુડની જાણીતી જોડી નાગા ચૈતન્યા અને સામંથાએ ડિવોર્સની જાહેરાત કરી તો ચાહકોને આઘાત લાગી ગયો હતો. તેમના ફેન્સમાં નિરાશા છવાઈ ગઈ હતી. જ્યારથી 'માજિલી' ની અભિનેત્રીએ નાગા ચૈતન્યથી અલગ થવાની જાહેરાત કરી છે ત્યારથી તે આ મુદ્દે ચૂપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામંથાએ કહ્યું કે તેને લાગતું હતું કે તે તૂટી જશે અને મરી જશે. પરંતુ જેમ કે તેણે મહેસૂસ કર્યું કે તે પોતાનું જીવન જીવવા જઈ રહી છે. તમામ મુદ્દાઓ સાથે, તે આટલી મજબૂત મહિલા હોવા બદલ તે પોતાને બિરદાવે છે. શકુંતલમની અભિનેત્રીએ કહ્યું કે હું ક્યારેય જાણતી નહતી કે હું આમાંથી બહાર નીકળી શકુ છું, મને પોતાની જાત પર ગર્વ છે કારણ કે મને ક્યારેય ખબર નહતી કે હું આટલી મજબૂત છું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube